Sunday, June 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજકોટ ખાતે સાંસદોની મંડળીય સમિતિની બેઠક યોજાઈ

રાજકોટ ખાતે સાંસદોની મંડળીય સમિતિની બેઠક યોજાઈ

રાજકોટ ખાતે માનનીય સાંસદગણોની મંડળીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા સહિત વિવિધ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટ તથા ભાવનગર મંડળના વિકાસકાર્યો, રેલવે સુવિધાઓ અને જનહિત સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન સૌરાષ્ટ્રના નાગરિકોને વધુ અને ઉત્તમ રેલ્વે સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી રજૂઆતો કરવામાં આવી હતી. ઉપરાંત રાજકોટ અને મોરબી જિલ્લાઓને રેલ્વે ક્ષેત્રે નવા વિકાસાત્મક કામો થાય, રેલ્વે સ્ટેશનો પર મુસાફરો માટેની પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેમજ દેશના વિવિધ ભાગો સાથે રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બને તે માટેની માંગણીઓ પણ રજૂ કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments