મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજને જાણ કરવામાં આવે છે કે આગામી તા.21/01/2025ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની 725મી જન્મ જયંતી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ઉજવણી અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મીટીંગ તારીખ 21/01/2025 ના રોજ સવારે 9:30 કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે મીટીંગનો એજન્ડા જગતગુરુ શ્રીની જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમ અંગે અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત થાય તે રહેશે જેથી મીટીંગમાં જ્ઞાતિબંધુઓએ પધારવા જણાવ્યું છે