Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટી.બી હારશે, દેશ જીતશે : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા પ્રધાનમંત્રી ટી.બી....

ટી.બી હારશે, દેશ જીતશે : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન હાથ ધરાયુ

મોરબી : ટી.બી હારશે, દેશ જીતશે, આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

“સર્વજન સુખાય, સર્વજન હિતાય”ના મંત્રને અદમ્ય વેગ આપી રહેલા આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ટી.બી. મુક્ત ભારત માટેનું ૧૦૦ દિવસનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. ડી.ડી. અજાણાની સૂચના અને પ્રા.આ. કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા અને સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન અનુસાર આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીના કર્મચારીઓ દિલીપ દલસાણીયા, સી.એચ.ઓ. ખુશબુ પટેલ અને ગામના આશા વર્કર બહેનો દ્વારા રાષ્ટ્રીય ટી.બી. અભિયાનના હેતુ અનુસાર ટી.બી.ના દર્દીઓને શોધી તેમને મફત દવા પુરી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેના અંતર્ગત ગામના લોકોને  ટી.બી. વિશે યોગ્ય મહિતી આપી ટીબીના લક્ષણ ધરાવતા લોકોના સ્ફૂટમ તપાસ તેમજ ખાસ ગામના ૬૦+ ઉંમર ધરાવતા વડીલોને જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે લઈ જઈ તેમનો એક્સ રે કરાવી તેમનું નિદાન વધુ યોગ્ય કરવામાં આવેલ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments