Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી નું જ્ઞાન અપાયું

મોરબીમાં આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી નું જ્ઞાન અપાયું

મોરબી : આજરોજ આર્યતેજ નર્સિંગ કેમ્પસ ખાતે આર. ટી. ઓ. કચેરી મોરબી અને ટ્રાફિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માર્ચ 2025 અંતર્ગત માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. માર્ગ અકસ્માતોમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવામાં ઘટાડવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ સીટબેલ્ટ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને વાહન ચલાવવામાં આવે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. વધુમાં કોઈપણ જગ્યાએ માર્ગ અકસ્માત થયેલ હોય તો તેવા સંજોગોમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરવા પ્રેરિત કરવામાં આવ્યા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ પ્રશાંતભાઈ , એઆરટીઓ આર.પી. પ્રજાપતિ ,સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી આર કે રાવલ તેમજ ટ્રાફિક પી.એસ.આઇ હરીશ સોમૈયા હાજર રહેલા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments