મોરબી: ઠંડીનું પ્રમાણ વધતા અને માવઠા જેવી પરિસ્થિતી માં કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તરફ થી કચ્છ જિલ્લા માં ઠેર ઠેર વિકાસ વંચિતો ની વસાહતો, એકલા અટુલા નિરાધાર લોકોને ધાબળા વિતરણ કર્યા હતા.
સાંસદ વિનોદભાઇ એ જણાવ્યુ કે, કચ્છમાં ઘણા સ્થળોએ ઝુપડાઓ માં રહેતા અને વિકાસ વંચિતો, એકલા અટુલા રહેતા નિરાધાર લોકો જે કયા પણ હાથ લંબાવી શકતા નથી. તેવા લોકો ને કચ્છમાં મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ મારફતે વિતરણ વ્યવસ્થા ગોઠવી છે તેમ જણાવ્યુ હતું.













