મોરબી : રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારમાં થાય છે. આ વખતે 31મી કાર્યશાળા (સેમિનાર) દિનાક 30/01/2025 ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ,શનિદેવના મંદિર પાછળ યોજાશે. વક્તા ડો ભાવેશભાઈ જેતપરિયા નિવૃત પ્રાધ્યાપક વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને( અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા માટે અધ્યયન મંડળ મોરબી સંયોજક ડો જયેશભાઈ પનારા
સહસંયોજકો વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણાએ નમ્ર વિનંતી કરી છે.
