Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના જલારામ મંદિરે 4 ફેબ્રુઆરીએ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના સહયોગથી નેત્રમણી...

મોરબીના જલારામ મંદિરે 4 ફેબ્રુઆરીએ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના સહયોગથી નેત્રમણી કેમ્પ યોજાશે

અત્યાર સુધીના 40 કેમ્પમાં કુલ 11806 લોકોએ લાભલીધો, 5390 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા

મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ
ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા.4-2-2025 ને મંગળવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન અજયભાઈ લોરીયા (સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન) પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468, નિર્મિતભાઈ 5555-9998880588, હરિસભાઇ રાજા-9879218415, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક ક૨વા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 40 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 11806 લોકોએ લાભ લીધો હતો તેમજ 5390 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments