મોરબી: રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનાર થાય છે. આ વખતે ૩૨ મી કાર્યશાળા (સેમિનાર) તારીખ ૨૦/૦૨/૨૦૨૫ ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ,શનિદેવના મંદિર પાછળ યોજાશે. વક્તા વિજયભાઈ રાવલ ,વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને(અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા અધ્યયન મંડળ મોરબી સંયોજક ડો.જયેશભાઈ પનારા, સહસંયોજકો વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા સહિતના અપિલ કરી છે.
