Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiસફાઈ કામદારોને આવાસ પુરા પાડવા ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલી

સફાઈ કામદારોને આવાસ પુરા પાડવા ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલી

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસોની સુવિધા પુરી પાડવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે, જેમાં કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી.

આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે સરકારશ્રીના નિયમોને આધિન વ્યક્તિગત રૂ.૧,૨૦,૦૦૦/- (એક લાખ વીસ હજાર)ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત વધુ વિગતો કે મદદ માટે જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં. ૪૬.૪૭, મોરબી, ફોન નં. ૦૨૮૨૨૨૪૨૨૨૪ નો સંપર્ક કરવા જિલ્લા મેનેજરશ્રી, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments