મોરબી: હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પઢી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે ૫:૦૦ વાગ્યા થી ખાવા પીવાનુ બંધ કરીને સાંજ ના ૭:૦૦ વાગ્યા પછી ખાઈ પી શકાય છે આમ ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોજુ ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે નાના નાના બાળકો પણ આખા દિવસનુ રોજુ રાખેછે હાલમા મોરબીના એ.એસ.ન્યુઝ ના તંત્રી આમદશા શાહમદારના નેક ફરજંદ ઈમરાનશા આમદશાના પુત્ર છ વર્ષના અમનશા એ ધગધગતા તાપમાં ૧૪ કલાક સુધી રોજુ રાખીને ખુદાની બંદગી કરી ઈમાન નુ સબુત પેસ કર્યું હતું ત્યારે અમનશા એ વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે ઈફતાર કર્યો બાદ જ ખાધું પીધું હતુ અને આમ ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરવા આખુ રોજુ રાખ્યું હતુ.











