Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો માધવપુર મેળા અંતર્ગત રાજ્યમાં યોજાયેલા કાર્યક્રમોમાં સમાવેશ

મોરબીની સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો માધવપુર મેળા અંતર્ગત રાજ્યમાં યોજાયેલા કાર્યક્રમોમાં સમાવેશ

મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ માધવપુર

મેળા 2025 નિમિત્તે સરકાર દ્વારા ભારતના 1600 કલાકારો દ્વારા વિવિધ શહેરોમાં મેગા ઇવેન્ટનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. આ ઇવેન્ટમાં મોરબીના સાર્થક વિદ્યામંદિર પ્રાચીન ગરબામાં પોતાનું પર્ફોમન્સ તા.1 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન સુરત, વડોદરા, અમદાવાદ, સોમનાથ, માધવપુર અને દેવભૂમિ દ્વારકા ખાતે રજૂ કરશે. જેમાં શાળાના માર્ગદર્શન હેઠળ 16 જેટલી વિદ્યાર્થિની બહેનો પરફોર્મન્સ આપી રહી છે. જે કૃતિના કોરિયોગ્રાફર રવિરાજભાઈ છે. મોરબીની દીકરીઓ ગુજરાતના અનેક મેગા સિટીમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે.

અધિકારી હિરલબેન વ્યાસ તેમજ સંપૂર્ણ જિલ્લા યુવા વિકાસ અધિકારીઓની ટીમ અત્રે તમામ ક્ષેત્રે મોરબી જિલ્લાને પ્રોત્સાહન સાથે કલાકારોને સન્માન અને તક આપી રહ્યા છે. ત્યારે આ ક્ષણ સાર્થક વિદ્યામંદિર સહિત મોરબી માટે ગૌરવવંતી ક્ષણ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments