મોરબીમાં ડો.આંબેડકર જન્મજયંતિ નિમિતે ભવ્ય ભીમ ભજનનું આયોજન
મોરબી: યુગપુરૂષ, ભારત રત્ન, ભારતીય સંવિધાન નિર્માતા ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. ત્યારે બિલીવ ફાઉન્ડેશન-મોરબી દ્વારા સમાજમાં શૈક્ષણીક જાગૃતિ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં વિચારો તેમના મિશનને આગળ વધારવા માટે અને તેમનાં જીવનકાર્યને યાદ કરી ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં આગામી તારીખ 14 એપ્રિલને સોમવારના રોજ રાત્રે 9:30 કલાકે મોરબીના સામાકાંઠે સો-ઓરડી, ભઠ્ઠાવાળી લાઈન ખાતે ભવ્ય ભીમ ભજન યોજાશે. જેમાં ભજન કલાકાર પીયુષ વાઘેલા એન્ડ ગ્રુપ ઉપસ્થિત રહેશે. આ ભીમ ભજનના આયોજનમાં પધારવા બિલિવ ફાઉન્ડેશન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











