Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ભગવાન  પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

મોરબીમાં ભગવાન  પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામજીનો પાવન જન્મોત્સવ ધામધૂમથી ઉજવવા આયોજન કરાયું છે. આ અવસરે તા. 28 એપ્રિલ 2025, સોમવાર અને મંગળવારના રોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તા. 28/04/2025ના રોજ રાત્રે 9:00 કલાકે શ્રી પરશુરામ ધામ, નવલખી રોડ ખાતે દાંડિયારાસનો આનંદ લેવાશે. ત્યારબાદ, મંગળવારના દિવસે સાંજે 4:00 કલાકે શ્રી ગાયત્રી મંદિર, વાઘપરા-14 થી શોભાયાત્રા નિકળશે જે પરશુરામ ધામ ખાતે સમાપન પામશે.

સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી તથા અન્નકૂટ અને ત્યારપછી સાંજે 8:00 કલાકે ભક્તિભર્યું મહાપ્રસાદ પણ આયોજિત છે. આ આયોજન માટે સમગ્ર શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી સક્રિય રીતે પ્રવૃત્ત છે. આ પ્રસંગે પ્રમુખ જયદીપભાઈ મેહતા તથા મહામંત્રીઓ ઋષિભાઈ મેહતા, હાર્દિકભાઈ ભટ્ટ અને ધ્વનિતભાઈ દવે માર્ગદર્શન આપી રહ્યા છે. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મોરબી શહેર તથા આસપાસના શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહી શ્રી પરશુરામજીના આશીર્વાદ મેળવવા માટે ઉત્સાહપૂર્વક આમંત્રણ અપાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments