ચોટીલાના આધેડના કમરના કોમ્પ્લિકેટેડ કેસની સફળતાપૂર્વક સર્જરી કરતી આયુષ હોસ્પિટલ
એન્ડોસ્કોપિક સર્જરીના કેસમાં એક ૫૩ વર્ષના ચોટીલાના રહેવાસીને કમરના L4-L5 મણકાની વચ્ચેની ગાદી ખસી જતા, કમરનો સખત દુઃખાવો, જમણી બાજુના પગનો દુઃખાવો, જમણા પગમાં ખાલી ચડી જવી, અને જમણા પગના પંજાની, નબળાઈ Foot Drop થયો હતો.
જેનાથી દર્દીને ચાલવામાં તકલીફ પડતી હતી. જેમાં દર્દીનું ઓપરેશન કરવું ફરજીયાત હતું, પરંતુ છાતીના એકરેમાં જોવામાં આવ્યું કે દર્દીનું એક બાજુનું ફેફસું કામ ન કરતુ હોવાથી સંપૂર્ણ બેભાન કરવા અને સી સી સુંઘાડવી શક્ય ન હતી.આથી મોરબી ખાતેની આયુષ હોસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ પ્રતિક પટેલની સુજબુજથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. દર્દીની જાગતિ અવસ્થામાં જ માત્ર ઓપરેશન કરવાનો ભાગ ખોટો કરી (Local Anaesthesia) દૂરબીન વડે (endoscopic) ખસેલી ગાદી કાઢી નસ પરનું દબાણ દુર કર્યું,જેથી તરત જ દર્દીને દુખાવામાં રાહત મળી તેમજ પગની નબળાઈ દુર થઇ અને દર્દી તરત જ ચાલવા માંડ્યા હતા.
endoscopicસર્જરીના ફાયદા
– 1.cm થી નાનો ચેકો
– ૨૪ કલાકમાં રજા
– દુખાવાથી તુરંત રાહત












