મોરબી : હાલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દરિયાઇ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. તેવામાં રાજકોટ રેન્જ આઈજીએ મોરબી જીલ્લાના દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી.
પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં માળિયાના દરિયાઈ વિસ્તારના લોકો સાથે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે વાતચીત કરી લોકોને પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. આ વેળાએ તેઓએ અફવાઓથી દુર રહેવા સૂચન કર્યું હતું. વધુમાં શંકાસ્પદ ગતિવિધિઓ અંગે પણ તુરંત પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરવા જણાવ્યું હતું.











