Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં અસહ્ય બફારા બાદ 29 મિમી વરસાદ વરસ્યો: વાતાવરણમાં ઠંડક પ્રસરી

વાંકાનેરમાં અસહ્ય બફારા બાદ 29 મિમી વરસાદ વરસ્યો: વાતાવરણમાં ઠંડક પ્રસરી

વાંકાનેર : રાજ્યના હવામાન વિભાગ તથા આગાહીકારો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી જેના અનુસંધાને છેલ્લા કેટલાક દિવસોથી વાંકાનેર પંથકમાં લોકો ભારે બફારો અનુભવી રહ્યા હતા. તેમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત આવી ગયા હતા.

જો કે પાંચેક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો જેના પગલે સાંજે પાંચેક વાગ્યાથી કમોસમી વરસાદ શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું. જાણે વર્ષાઋતુમાં વરસાદ વરસે તેમ દે ધનાધન તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તેથી લોકોએ રાહત અનુભવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments