Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પાણીની સમસ્યા વચ્ચે પાણીકાપ લદાતા લોકોની મુશ્કેલી વધશે

મોરબીમાં પાણીની સમસ્યા વચ્ચે પાણીકાપ લદાતા લોકોની મુશ્કેલી વધશે

મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી સમસ્યા વચ્ચે મનપા દ્વારા કાલે તા.૧૪ના રોજ પાણી કાપ જાહેર કરાતા લોકોની મુશ્કેલી વધશે. આટલું અધૂરું હોય તેમ તા.૧૫ અને તા.૧૬ના રોજ પણ પાણી વિતરણ અનિયમિત થશે તેવું મનપાએ સતાવાર રીતે જાહેર કરતા પાણી માટે લોકોની આકરી કસોટી થશે.

મોરબી મહાનગરપાલિકા ધ્વારા મચ્છુ-૨ ડેમ હેડ વર્કસ ખાતે ૨૫૦ HPના નવા બે પંપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેનું કનેક્શન GWSSBની ચાલુ લાઈનમાં Shut-Down લઈને કરવાનું થાય છે. આ કામગીરી તા.૧૪/૦૫/૨૦૨૫ના રોજ સવારના ૦૮:૦૦ કલાક થી રાત્રીના ૦૮:૦૦ કલાક દરમ્યાન હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમ્યાન મચ્છુ-૨ માંથી પાણી ન ઉપાડી શકવાના કારણે સમગ્ર શહેરને આવવાનો પાણી પુરવઠો તા.૧૪/૦૫/૨૦૨૫ના બપોરના -૧૨:૦૦ કલાકથી તા.૧૫/૦૫/૨૦૨૫ના સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.
ત્યારબાદ સમગ્ર શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સામાન્ય થતા ૪૮ કલાક જેટલો સમય લાગશે. જેથી તા.૧૫/૦૫/૨૦૨૫ તથા તા.૧૬/૦૫/૨૦૨૫ના રોજ પાણી વિતરણ અનિયમિત રીતે થશે તેવી મહાપાલિકા દ્વારા જાહેરાત કરાતા લોકોની મુશ્કેલીનો પાર નહિ રહે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments