મોરબી : BAPS સ્વામિનારાયણ મંદિર, મોરબી દ્વારા તારીખ 14-5-2015 થી 18-5-2025 દરમિયાન ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ વર્તમાન પ્રવાહને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવેલ છે. આગામી દિવસોમાં આપ સૌના સહકારથી માનવ ઉત્કર્ષ મહોત્સવનું સુંદર આયોજન કરી શકાય અને વર્તમાન પરિસ્થિતિમાં શાંતિ સ્થપાય તે માટે આપણે સહુ અવશ્ય પ્રાર્થના કરીશું.તેમ BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર- મોરબી દ્વારા જણાવાયું છે.










