Wednesday, June 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiનંદનવન (દેરાળા) ગામના સરપંચ પદે કમલેશભાઈ ઉઘરેજાનો વિજય

નંદનવન (દેરાળા) ગામના સરપંચ પદે કમલેશભાઈ ઉઘરેજાનો વિજય

મોરબી જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી.ત્યારે માળિયા (મિં) તાલુકાના નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું છે. જેમાં ટીલર નિશાનના ઉમેદવાર કમલેશભાઈ નરભેરામભાઈ ઉઘરેજા સરપંચ પદે ચૂંટાય આવ્યા છે. નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયતની ચુંટણીમાં કુલ 512નું મતદાન થયેલ હતું. જેમાં કમલેશભાઈ ઉઘરેજાને 335 મત મળેલ હતા. જ્યારે અરવિંદભાઈ ભગવાનજીભાઈ ગવાણીયાને 156 મત અને હીરાભાઈ થોભણભાઈ વડાવિયાના 4 મત મળ્યા હતા. જેથી કમલેશભાઈ ઉઘરેજાનો 162 મતની વિજય થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી નંદનવન જુના દેરાળા ગ્રામ પંચાયત સાથે જોડાયેલ હતું. ત્યારે નંદનવન જુના દેરાળાથી અલગ થતાં પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી. જેમાં કમલેશભાઈ ઉઘરેજાનો વિજય થયો છે. ત્યારે ઠેર-ઠેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમજ કમલેશભાઈ ઉઘરેજા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના નાના ભાઈ છે. અને સેવાકીય કાર્યોમાં પણ સાથે જોડાઈ પ્રવૃતિઓ કરતા રહ્યા છે. ત્યારે કમલેશભાઈએ જણાવ્યું હતું કે, નંદનવન (દેરાળા) ગ્રામજનોએ મારા પર વિશ્વાસ મુકી મને વિજય બનાવ્યો તે બદલ સમગ્ર ગ્રામજનનો હું આભાર વ્યક્ત કરું છું. તેમજ આગામી દિવસોમાં નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયત અલગ બનાવી લોકોની સમસ્યા નિવારણ લાવવા યથાત પ્રયત્ન કરતો રહીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments