Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અપાશે

મોરબીમાં UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અપાશે

જિલ્લા પંચાયત દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી મંગવાઈ અરજી

મોરબી : મોરબી જિલ્લાના વતની હોય અને માર્ચ 2025માં ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ)માં 70 % થી વધુ માર્ક્સ મેળવેલ હોય અને હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે UPSCની તૈયારી માટે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. UPSCની પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.

પસંદ થયેલ વિદ્યાર્થીને પ્રથમ વર્ષ માટે રૂ.15000 અને ત્યારબાદ જરૂરી લાયકાતના ધોરણો મેળવ્યા બાદ બીજા અને ત્રીજા વર્ષ માટે પણ શિષ્યવૃતિ આપવાનું વિચારણા હેઠળ છે. આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ આ પ્રેસ નોટ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન 15માં રૂમ નં.146, શિક્ષણ શાખા, પ્રથમ માળ, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ, મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે.અરજીનો નમુનો જિલ્લા પંચાયત કચેરી,મોરબીની વેબસાઈટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments