મોરબી : જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ-મોરબી ખાતે એ.સી. હોલમાં તા. 14 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે 11 પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી-ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ,મોરબી)ના વ્યાસાસને 11 પોથી ભાગવત્ સપ્તાહ યોજાશે. પોથી અંગે વધુ માહિતી ભાવનાબેન અનિલભાઈ સોમૈયા (મો. નં . 8511060066) પર સંપર્ક કરવા જણાવ્યું છે. સપ્તાહ દરમિયાન બપોરે ફરાળ મહાપ્રસાદ તથા સાંજે મહાપ્રસાદમાં સહયોગ અર્પણ કરવા માટે ગીરીશભાઈ ઘેલાણી (મો. નં.9825082468) પર સંપર્ક કરવા જણાવ્યું છે








