મોરબી : જયશ્રી માનવસેવા ટ્રસ્ટના હસ્તે શ્રlવણ મહિનાના ત્રીજા સોમવારે ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવરના સહયોગથી રેલવે સ્ટેશનની સામે આવેલ મહારાની નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરામાં રહેતા લોકોને પાઉભાજી ખવડાવવમાં આવી હતી.
જેમાં ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા ,ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડ, ગૌતમભાઈ રાઠોડ, તેમજ ચારે ચાર સોમવારના દાતા હિમેન્દ્રભાઈ ત્રિવેદી, ક્રિષ્નાબેન ત્રિવેદી, તેમજ સિદ્ધએશ્વર મંદિરના મહંત પ્રવિનગીરી મહારાજ, રીટાબેન, તેમજ રૈન બસેરાના મેનેજર પરેશભાઈ ત્રિવેદી, સિનિયર કેર ટેકર અસ્મિતાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા.
કોઈપણની લગ્નતિથી, જન્મતિથિ , શ્રદ્ધાંજલિ કે, અમાસ, પૂનમ કે શ્રાવણ કે પરસોતમ મહિનામાં કાઈપણ દાન આપવું હોય તો એક દિવસ અગાવ જાણ કરવી.
ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવર
જયશ્રીબેન વાઘેલા
7016707020
કપિલભાઈ રાઠોડ
88666 06160















