મોરબી નજીક આવેલા રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં ભગવાન રામદેવપીરના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે નેજા ઉત્સવ યજ્ઞ, આખો દિવસ મહાપ્રસાદ ફરાળ, રાત્રે સંતવાણી ભજન રામદેવપીરનો પાટ, મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સતસંગ, જલજીલણી અગીયારસ નિમિત્તે ઠાકર સ્નાન રાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સ્વયં સેવકો ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.













