મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવના દસમાં દિવસે સાળંગપુર ગઢપુર ધામના નાની ઉમરમાં ખૂબ જ મોટું નામ ધરાવતા એવા આર્યન ભગતજી ગણપતિ દાદાના દર્શન કરવા પધાર્યા હતા અને આર્યન ભગતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં ગણેશજીની આરતી ઉતારી હતી. તેમજ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવની સમગ્ર ટીમને આશીર્વાદ આપ્યા હતા ત્યાર બાદ કાર્યક્રમમાં હાજર બધા લોકોને મોટીવેશનલ સ્પીચ આપી હતી.












