મોરબી : સંગમ ફાઉન્ડેશન દ્વારા માતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ માટે ઉમા રિસોર્ટ મોરબી ખાતે માં આશાપુરાની આરતી કરી વિધિવત પદયાત્રી સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વિશેષ અતિથિ તરીકે ઉમા રિસોર્ટના માલિક પ્રાગજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
પદયાત્રી સેવા કેમ્પ ૧૨/૯/૨૦૨૫થી લઈ ૧૫/૦૯/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. જેમાં પદયાત્રીઓ માટે ૨૪ કલાક આરામદાયક રહેવાની ,ચા,પાણી,શરબત,નાસ્તો ,મેડિકલ , મોબાઈલ ચાર્જર તેમજ સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી દરેક પદયાત્રીઓને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે તેમજ જય માં આશાપુરાના જયઘોષ સાથે ભક્તજનોને દર્શન કરવા આમંત્રણ પાઠવ્યું છે.














