Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસોથી આયુર્વેદિક દવા છેતરપિંડી કેસમાં પીડિતાને નાણા પરત...

વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસોથી આયુર્વેદિક દવા છેતરપિંડી કેસમાં પીડિતાને નાણા પરત મળ્યા

વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા તાજેતરમાં એક પીડિત મહિલાને આયુર્વેદિક દવાઓના માધ્યમથી થયેલી છેતરપિંડીના કેસમાં નાણા પરત અપાવી ન્યાય અપાવવામાં આવ્યો છે.

પીડિતાએ જણાવ્યા મુજબ, ઓનલાઇન માધ્યમ દ્વારા આયુર્વેદિક દવાઓ ખરીદવાના બહાને એક વ્યક્તિએ આર્થિક છેતરપિંડી કરી હતી. મામલો મહિલા સહાયતા કેન્દ્ર વાંકાનેર સુધી પહોંચતા, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર તેજલબા ગઢવી દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સંબંધિત સાથે સંકલન કરી પીડિતાને ન્યાય મળ્યો હતો. મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસોથી પીડિતાને રકમ પરત મળતા, તેમણે કેન્દ્રના મહિલા કાઉન્સેલર તેજલબા ગઢવીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments