મોરબી : માળિયા મિયાણાના જુના ઘાટીલા ગામે શાકભાજીમાં દવા છાટતી વખતે દવાની અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવતીનું પાંચ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા મિયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામ નજીક હસમુખભાઇ વિઠ્ઠલભાઇ વિડજાની વાડીએગત તા.18ના રોજ અનુબેન છગનભાઇ પલાસીયા ઉ.વ.૨૩ રહે.મૂળ એમપીવાળા શાકભાજીમાં ઝેરી દવા છાંટતા હતા. તે દરમિયાન તે દવાની અસર થતા જેતપર સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. બાદમાં વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.22ના રોજ તેઓનું મોત થતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે










