મોરબી : રાજ્યભરમાં છેલ્લા 8 નવેમ્બરથી એસ આઈ આરની કામગીરી ચાલી રહી છે આ કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકને બી એલ ઓ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે જોકે આ કામગીરી ખુબ જટિલ અને ડોર ટુ ડોર કામગીરી હોવાથી આ બાબતને ગંભીરતાથી લઈ મોરબી માળિયા બેઠકના ધારાસભ્ય તેમજ રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી માળિયા મત વિસ્તારના ભાજપના કાર્યકરો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પાલિકા ચૂંટાયેલ તેમજ પૂર્વ સદસ્યોને તેમના મત વિસ્તારમાં બીએલઓને મદદ કરવા અપીલ કરી છે જેથી બીએલઓ અને તેમના સહયોગીને મદદ મળે તે માટે કાર્યકરોને પણ સહયોગ આપવા મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ અપીલ કરી હતી.











