મોરબી : કેશવાનંદ બાપુની અહૈતુક કૃપા પ્રસાદ સ્વરૂપ, ભજનભૂમિ ખોખરા હનુમાન હરિહરધામના પાવન પરિસરમાં કનકેશ્વરી દેવીજીની પ્રેરણા અનુસાર માગશર સુદ નોમ શુક્રવાર તારીખ 28 નવેમ્બર 2025 થી માગશર સુદ તેરસ મંગળવાર તારીખ 2 ડિસેમ્બર 2025 સુધી સાધુ-સંતો તથા વિદ્વાન આચાર્યોના પાવન સાનિધ્યમાં પંચ દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ખોખરા હનુમાન હરિહરધામ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં પંચમુખાત્મક શ્રી વિષ્ણુ મહાયજ્ઞ તા.28 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી યોજાશે. તા.29 નવેમ્બર ને રાત્રે 9:30 કલાકે સંતવાણી ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. જેમાં કલાકાર પરસોત્તમપરી બાપુ હાજરી આપશે. તા.30 નવેમ્બર ને સવારે 7 કલાકથી ધર્મસભા યોજાશે જેમાં જયશ્રીદાસ માતાજી હાજરી આપશે. શ્રી નવગ્રહ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ધૂણી સ્થાપના તા.30 નવેમ્બર ને બપોરે 12 કલાકે યોજાશે. યજ્ઞપૂર્ણાહુતિ તા. 2 ડિસેમ્બર ને બપોરે 12:30 કલાકે થશે. તો આ દિવ્ય ધર્મોત્સવનો લાભ લેવા ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ તથા સદગુરુ પરિવાર, ભારત દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.











