Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ઢોસાના નવા સોપાનનો શુભારંભ

મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ઢોસાના નવા સોપાનનો શુભારંભ

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના પ્રખ્યાત GJ-5 Fancy dhosaની નવી બ્રાંચનો શુભારંભ સામાકાંઠે, ડી-માર્ટની સામે, મોરબી-૨ ખાતે કરવામાં આવ્યો હોય, તેના પ્રથમ કાઉન્ટરના ઉદઘાટન પ્રસંગે GJ-5 Fancy dhosa ના ઓનર્સ દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે લોકો પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાનના શુભારંભની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અનીલભાઈ સુવાગીયા, કાર્તિકભાઈ ભાખર, કીશનભાઈ વઘાસીયા, રવિભાઈ કથીરીયા, શ્યામભાઈ ભાખર, કેયુરભાઈ ભાખર દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી, સેવા કાર્યમાં સહયોગ આપી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, પ્રવિણભાઈ કારીયા, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, રવજીભાઈ કૈલા, દીનેશભાઈ પારેખ, કે.પી.ભાગીયા સાહેબ, વિપુલભાઈ પંડીત, ભાવેશભાઈ બુદ્ધદેવ, અમૃતલાલ ભોજાણી, કમલેશભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments