હળવદ તાલુકાના ટિકર ગામે માતાજીના મંદિરમાં દિવાબતી કરતા સમયે દિવાની જ્યોત સાળીમાં અડી જતા આગ લાગવાથી સિત્તેર વર્ષના વૃદ્ધાનું શરીરે દાઝી જવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતી.
કરુણ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટિકર ગામે રહેતા રુખીબેન મનજીભાઈ પરમાર ઉ.70 ગત તા.19 જાન્યુઆરીના રોજ પોતાના ઘેર મંદિરમાં દિવાબતી કરતા હતા ત્યારે દિવાની જ્યોત સાળીમા અડી જતા મોઢે બાંધેલ રૂમાલ સહિતના ભાગે આગ પ્રસરી જતા દાઝી ગયેલા રુખીબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










