નવાપરાથી વાસુકીદાદા મંદિર જતા રોડ પર પુરપાટ જતી રીક્ષાના ચાલકે મજુરી કામે જતા ૮૦ વર્ષીય વૃદ્ધના બાઈકને ઠોકર મારી હતી અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી રીક્ષા મૂકી ચાલક નાસી ગયો હતો
વાંકાનેરના કુંભારપરાના રહેવાસી મયુરભાઈ રામજીભાઈ મકવાણાએ સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૧૫૬૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકા વાલજીભાઈ રવજીભાઈ મકવાણા (ઉ.વ.૮૦) રહે કુંભારપરા વાંકાનેર વાળા ગત તા. ૨૮ ના રોજ સવારના આઠેક વાગ્યે પોતાનું બાઈક જીજે ૦૩ એફસી ૮૦૯૫ લઈને મજુરી કામ જતા હતા ત્યારે વાંકાનેરથી મોરબી જતા હાઈવે પર નવાપરાની કટ વાસુકીદાદા મંદિર પાસે રીક્ષા ચાલકે પુરઝડપે ચલાવી રોંગ સાઈડમાં આવી ફરિયાદીના કાકાના બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો
અકસ્માતમાં બાઈક ચાલક વાલજીભાઈ મકવાણાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ રીક્ષા સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરાર રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે










