ગોરખીજડીયા ગામના તળાવ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે તપાસ ચલાવી હતી અને મૃતક વીરપરડા ગામનો રહેવાસી ૩૫ વર્ષીય યુવાન હોવાનું ખુલ્યું છે
મોરબીના ગોરખીજડીયા ગામે તળાવ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતક મુસાભાઈ આહમદભાઈ સુમરા (ઉ.વ.૩૫) રહે વીરપરડા વાળાનો હોવાનું જાણવા મળ્યું છે જોકે યુવાનનું મોત ક્યાં કારણોસર થયું તે સ્પષ્ટ થયું નથી મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી છે










