મોરબી તાલુકાના કોયલી (ખોડાપીપર) ગામે આગામી તારીખ 20/03/2026 ને શુક્રવારના રોજ ભવ્ય રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જારીયા પરિવારના પુત્ર રાજ સુરેશભાઈ જારીયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A.) બનતા તેની ખુશીમાં આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત મુજબ, કોયલી (ખોડાપીપર) મુકામે જારીયા પરિવાર દ્વારા આયોજિત આ પ્રસંગે તા. 20 ના રોજ સાંજે 04:30 કલાકે રામદેવજી મહારાજના સામૈયા યોજાશે. ત્યારબાદ સાંજે 06:00 કલાકે ભોજન સમારંભ અને રાત્રે 09:00 કલાકે કોયલીનું પ્રખ્યાત ‘અલખધણી રામામંડળ’ (રામાપીરનું જીવન ચરિત્ર) સંગીતમય શૈલીમાં પીરસવામાં આવશે.
આ પ્રસંગના આયોજક કાનાભાઈ માંણદભાઈ જારીયા, સુરેશભાઈ કાનાભાઈ જારીયા અને ગેલાભાઈ કાનાભાઈ જારીયા છે. આ ધાર્મિક ઉત્સવમાં પધારવા જારીયા પરિવાર અને નિમંત્રકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ શક્તિ કૃપા સ્ટુડિયો દ્વારા કરવામાં આવશે.











