
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા. 1 સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ હશે. આ સાથે આતમના ઓજસ -જે. આર. જોષીના પુસ્તકનો પરિચય પણ કરાવવામાં આવશે.










