Wednesday, June 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહતદરે ઉચ્ચ ગુણવત્તાવાળી ફૂલસ્કેપ વિતરણ...

ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહતદરે ઉચ્ચ ગુણવત્તાવાળી ફૂલસ્કેપ વિતરણ કાર્યક્રમ યોજાશે

મોરબી ડેઈલી:સમાજસેવા, શિક્ષણપ્રેમ અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યોને જીવનમાં ઉતારતી ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા દ્વારા આગામી શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપયોગી બને તેવા “રાહતદરે ફૂલસ્કેપ વિતરણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.

આજના સમયમાં શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શૈક્ષણિક સામગ્રી વાજબી દરે ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા A4 સાઇઝની ઉચ્ચ ગુણવત્તાવાળી 172 પેજની ફૂલસ્કેપ નોટબુકનું વિશેષ રાહતદરથી વિતરણ કરવામાં આવશે.

સામાન્ય બજાર કિંમત મુજબ 6 નોટબુકના સેટની કિંમત આશરે રૂ. 420/- થાય છે, જ્યારે ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા એ જ ગુણવત્તાનો 6 નોટબુકનો સેટ માત્ર રૂ. 200/-માં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલ દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સીધો આર્થિક લાભ મળશે.

આ નોટબુક વિતરણ કાર્યક્રમ રવિવાર, તા. 14 જૂન, 2026ના રોજ સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજાશે. કાર્યક્રમનું સ્થળ ડૉ.ભાડેસિયા સાહેબની હોસ્પિટલ, OMVVIM કોલેજની સામે આવેલ ગ્રાઉન્ડ, શનાળા રોડ, મોરબી નક્કી કરવામાં આવ્યું છે.

ભારત વિકાસ પરિષદના “સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ” જેવા પવિત્ર મૂલ્યોને કેન્દ્રસ્થાને રાખી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે સમાજને ઉપયોગી સેવા પૂરી પાડવાનો છે. પરિષદના હોદ્દેદારો દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર આયોજનમાં અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ હોથી, સચિવ શ્રી વિશાલભાઈ બરાસરા, કોષાધ્યક્ષ શ્રી હિરેનભાઈ ધોરિયાણી, સંયોજક શ્રી હિંમતભાઈ મારવણીયા તથા શાખા કન્વીનર (સેવા) શ્રી રાજુભાઈ ડાંગર સહિતના ભારત વિકાસ પરિષદના કાર્યકરો દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે.

ભારત વિકાસ પરિષદ, મોરબીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજ વિકાસનો પાયો છે અને વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધનો સરળતાથી પ્રાપ્ત થાય તે માટે પરિષદ સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરતી રહે છે.

ભારત વિકાસ પરિષદમાં સભ્ય તરીકે જોડાવા અથવા વધુ માહિતી મેળવવા માટે મો. 99744 58658 પર સંપર્ક કરી શકાય છે.

વિનંતી :
વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષણપ્રેમી નાગરિકોને આ સેવાકીય કાર્યક્રમનો લાભ લેવા તેમજ અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવા અનુરોધ કરવામાં આવે છે.

ભારત વિકાસ પરિષદ, મોરબી
“સંપર્ક… સહયોગ… સંસ્કાર… સેવા… સમર્પણ…”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments