Saturday, June 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજેતપરના ખેડૂતોની લડતને અજયભાઈ લોરીયાનું સમર્થન, રૂ. 51 હજારની સહાયની જાહેરાત

જેતપરના ખેડૂતોની લડતને અજયભાઈ લોરીયાનું સમર્થન, રૂ. 51 હજારની સહાયની જાહેરાત

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામમાં વીજ લાઈન પસાર થવાના મુદ્દે ખેડૂતો લાંબા સમયથી પોતાના હક્ક અને ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. આ દરમિયાન હવે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સ્થાપક અજયભાઈ લોરીયા ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યા છે.

અજયભાઈ લોરીયાએ સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના લેટરપેડ પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, કિશાન ઉપવાસ છાવણી (જેતપર ગામ) ખાતે ખેડૂતો દ્વારા ચાલી રહેલી હક્ક, અધિકાર અને ન્યાયની લડતમાં તેઓ તન, મન અને ધનથી ખેડૂતોની સાથે છે અને સંપૂર્ણ સમર્થન જાહેર કરે છે. વધુમાં તેમણે ખેડૂતોની આ લડતને મજબૂત બનાવવા માટે રૂ. 51,000ની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments