Monday, July 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઘોડાધ્રોઈ ડેમમાંથી પાણીની આવકના પગલે જીકીયારી કોઝવે પર પાણી ફરી વળતા જિલ્લા...

ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણીની આવકના પગલે જીકીયારી કોઝવે પર પાણી ફરી વળતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો

મોરબી જિલ્લામાં જળાશયોમાં થઈ રહેલી પાણીની સતત આવકને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જીકીયારી પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા અને ઉપરવાસની આવકના કારણે જીકીયારી ગામ પાસે આવેલા કોઝવે પરથી પાણીનો ભારે પ્રવાહ ઓવરટોપ (પસાર) થઈ રહ્યો છે. નાગરિકોની જાનમાલની સલામતીને પ્રાધાન્ય આપીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ કોઝવે પરનો વાહનવ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે.

પાણીનું સ્તર ઘટ્યા બાદ અને રસ્તો સંપૂર્ણ સલામત હોવાની ખાતરી થયા પછી જ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બંધ કોઝવે કે વહેતા પાણીમાં વાહન ચલાવવાનું કે રસ્તો ઓળંગવાનું સાહસ ન કરવું અને તંત્રની સલામતી વિષયક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments