Monday, August 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર નજીક જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ત્રણ દિવસીય લોકમેળાનો પ્રારંભ

વાંકાનેર નજીક જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ત્રણ દિવસીય લોકમેળાનો પ્રારંભ

મોરબી ડેઈલી:વાંકાનેર નજીક આવેલા સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત ત્રણ દિવસીય સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલા આ લોકમેળાને રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે દીપ પ્રગટાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલજી મહારાજ, રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહ ઝાલા સહિત અનેક રાજકીય, સામાજિક આગેવાનો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. જડેશ્વર મહાદેવના પવિત્ર પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલા આ લોકમેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના પ્રારંભ સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે લોકમેળાની ઉજવણીનો આરંભ થયો હતો. ત્રણ દિવસ સુધી યોજાનારા આ લોકમેળામાં આસપાસના વિસ્તાર તેમજ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ અને લોકો મેળાની મોજ માણશે. જડેશ્વર મહાદેવના દર્શન સાથે લોકમેળાના વિવિધ કાર્યક્રમો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments