Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની મહેન્દ્રપરા શેરી નંબર-12માં ગટરના ઉભરાતા પાણીથી: રોગચાળો ફાટી નીકળવાની લત્તાવાસીઓને શક્યતા

મોરબીની મહેન્દ્રપરા શેરી નંબર-12માં ગટરના ઉભરાતા પાણીથી: રોગચાળો ફાટી નીકળવાની લત્તાવાસીઓને શક્યતા

મોરબી : મોરબીની મહેન્દ્રપરા શેરી નંબર 12માં લાતીરોડ સામે શેરીમાં છેલ્લા 25 દિવસથી ગટરના પાણી ભરાયેલા છે. શેરીમાં એક છેડાથી બીજા છેડા સુધી નદીની જેમ ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. જેના કારણે ભયંકર દુર્ગંધ આવી રહી છે. રહીશોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 25 દિવસથી આ અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

શેરીમાં ગટરના ગંદા પાણી ભરાયેલા હોવાથી ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની લત્તાવાસીઓને શક્યતા છે. ત્યારે તાત્કાલિક આ ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments