
મોરબી : પ્રકૃતિને આપણે માતા કીધી છે. આપણું લાલન, પાલન, પોષણ અને આપણું અસ્તિત્વ પ્રકૃતિ અને પર્યાવરણને આભારી છે. સમગ્ર પ્રકૃતિ પંચમહા ભૂતની બનેલી છે અને આપણે પણ પંચમહાભૂતના જ બનેલા છીએ. અત્યારે પ્રકૃતિ માતાનો વૈભવ સોળે કળા એ ખીલેલો છે. માતાના ગુણગાન ગાવા, તેનું મહત્વ સમજવું તથા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી આ કાર્યક્રમનું આયોજન થયું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા ટંકારા-પડધરીને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન અમિતભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની પ્રસ્તુતિ માટે સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી નિલેશભાઈ પંડ્યા તથા તેમના સાથી કલાકારોની ટીમ સાથે આપણને પર્યાવરણનું રસપાન કરાવશે.
મોરબી શિશુમંદિર ટ્રસ્ટના મંત્રી જયંતીભાઈ રાજકોટિયા તથા નિયામક સુનિલભાઈ પરમાર આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત બનીને આ કાર્યક્રમ માટે માર્ગદર્શન કરી રહ્યા છે. આ કાર્યક્રમના સંયોજક વિષ્ણુભાઈ વિડજા સમગ્ર શિશુમંદિરના સ્ટાફ પરિવારને સાથે રાખીને કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. દિનાંક 14/9/2024ને શનિવારે રાત્રે 8:45 કલાકે શનાળામાં મારુતિ પરફેક્ટ શોરૂમની બાજુમાં આવેલા સરસ્વતી શિશુમંદિરના મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. પ્રકૃતિ પર્યાવરણ પ્રેમી પ્રત્યેક નાગરિક આ કાર્યક્રમનો લાભ લેવા તથા સરસ્વતી શિશુમંદિરના વાલી પરિવારને આ કાર્યક્રમમાં પધારવાનું સ્નેહ સભર નિમંત્રણ છે.











