મોરબી : આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લાનો પોસ એરીયા ગણાતો રવાપર રોડ પર ધણાં સમયથી નાલુ નબડુ હોવાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને હમણાં તે નાલુ બનાવવા નું કામ ચાલું કરવામાં આવ્યું છે પણ તે નાલા પાસે કામ ચલાવ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે પણ એ ડાયવર્ઝન કહેવા પુરતો હોય તેવું લાગે છે.


વધુમાં જણાવ્યું હતું કે, હમણાં મોરબીમાં વરસાદ પડવાથી તે ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયા છે,કાદવ કીચડથી ભરાઈ ગયું છે તથા ચીકાશ વાળી માટી હોવાથી વહાન ચાલકો સ્લીપ થઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવી ખરાબ હાલત થઈ ગઈ છે. તો આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા તે કામચલાઉ ડાયવર્ઝનને જેમ બને તેમ જલ્દી સમારકામ કરવામાં આવે અને કોઈ વહાન ચાલકોને અકસ્માત ન સર્જાય તે માટે વ્યવસ્થિત રીતે સમારકામ થાય તેવી માંગ મોરબી તંત્ર ને કરવામાં આવી છે અને સાથે સાથે જો ત્વરિત ધોરણે કામગીરી ન થાય તો ઉગ્ર રજૂઆત સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.










