મોરબી : ભાજપ દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા- પડધરી વિધાનસભાના કાર્યકર્તાઓનો નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ તા.૧૨ને મંગળવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ, મોરબી રાજકોટ હાઈવે, વિરપર ખાતે રાખેલ છે.
આ કાર્યક્રમમાં રણછોડભાઈ દલવાડી (પ્રમુખ, મોરબી જીલ્લા ભાજપ), અલ્પેશભાઈ ઢોલરીયા (પ્રમુખ, રાજકોટ જીલ્લા ભાજપ), પરસોત્તમભાઈ રૂપાલા (સાંસદ, રાજકોટ લોકસભા), કેશરીદેવસિંહ ઝાલા (સાંસદ, રાજયસભા), મોહનભાઈ કુંડારીયા (પુર્વ સાંસદ, રાજકોટ લોકસભા), હંસાબેન પારધી (પ્રમુખ મોરબી જીલ્લા પંચાયત), પ્રવિણાબેન રંગાણી (પ્રમુખ, રાજકોટ જીલ્લા પંચાયત, હિતેષભાઈ ચૌધરી (પ્રભારી, મોરબી જીલ્લા ભાજપ), મગનભાઈ વડાવીયા (ડિરેક્ટર, કૃભકો દિલ્હી) ઉપસ્થિત રહેશે.











