મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકારોનના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1500 થી વધુ કાર્યકરો-પ્રજાજનો ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર દીપાવલી પર્વ બાદ નુતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે.
તા. 16.11.2024 શનિવાર સાંજે 5.00 કલાકે, ઉમા ટાઉનશીપ મુકામે યોજાનારા આ સ્નેહમિલનમાં પ્રદેશ ભાજપાના વરિષ્ઠ આગેવાનઓ, માનનીય સંસદ સદસ્યઓ,ધારાસભ્યજીલ્લા અને મંડલ સંગઠનના હોદ્દેદારો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આ સ્નેહમિલન સમારોહમાં પરસ્પર શુભકામનાઓ પાઠવવા તમામ ચાર મંડલોના સંગઠનના વર્તમાન-પૂર્વ હોદ્દેદારો. વિવિધ મોરચા-સેલના હોદ્દેદાર સદસ્યઓ ચૂંટાયેલા તમામ વર્તમાન-પૂર્વ પ્રતિનિધિઓ, વર્તમાન-પૂર્વ સરપંચઓ બુથ પ્રમુખ, પેજ પ્રમુખ અને પેજ સમિતિઓના તમામ સદસ્યઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ છે. સાથે સાથે વિવિધ તમામ જ્ઞાતિ-સમુદાયના હોદ્દેદારો જ્ઞાતિજનો, ઉપરાંત વિવિધ તમામ ઉદ્યોગ એસોસિએશનના ઉદ્યોગકારો તમામ વેપારી અને વ્યવસાયિક એસોસિએશનના હોદ્દેદારlઓ અને સભ્યો તેમજ સમસ્ત પ્રજાજન-મતદાર ભાઈ બહેનોને સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવા ધારાસભય તથા ચાર મંડલના હોદ્દેદારોનું હાર્દિક નિમંત્રણ છે. સ્નેહમિલન સમારોહ સંપન્ન થયે સ્વરૂચિ ભોજનનું આયોજન છે.











