મોરબીના શ્રી પરશુરામધામ મંદિર ખાતે આગામી તા. ૨૮ થી ૩૦ સુધી ત્રિ દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે
જે ત્રિ દિવસીય વ્યાખ્યાન માળા તા. ૨૮,૨૯ અને ૩૦ ના રોજ સાંજે ૫ થી ૭ સુધી શ્રી પરશુરામધામ મંદિર, નવલખી રોડ મોરબી ખાતે યોજાશે જેમાં સ્વામી હરીબ્રહ્મોન્દ્રાનંદ તીર્થ આચાર્ય, આદિ શંકરબ્રહ્મ વિધાપીઠ-ઉત્તરકાશી વાળા પધારશે જેઓ સરળ સમગ્ર વેદાંત વિષય પર પ્રવર્ચન આપશે જેથી ધર્મપ્રેમી જનતાએ વ્યાખ્યાનમાળાનો લાભ લેવા પરશુરામધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા,દક્ષાબેન મહેતા,સંયોજક શિવાનંદ યોગ સર્કલ તરફથી આમંત્રણ પાઠવ્યું છે











