
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા બાંગ્લાદેશમાં હીન્દુઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચાર વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમ અને કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. બાંગલાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિંદુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિંદુ વિરોધ ભડકાવી રહી છે ત્યારે ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલા લેવાનું ટાળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બાંગલાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરવા તથા ભાજપ સરકાર નક્કર પગલા લે તેવી માંગ સાથે કલેકટરને પ્રધાનમંત્રી ને રજુઆત કરવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.











