મોરબી : મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તા. ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે.
આ ઉર્ષ મુબારકમાં તારીખ:-૧૦/૦૭/૨૦૨ને ગુરૂવારના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ ફેરવવામાં આવશે અને ૧૦ કલાકે આ જુલસ સેવન સારકાર સેવનની દરગાહ શરીફ પણ પુર્ણ થશે અને ત્યાર બાદ ૧૦:૦૦ કલાકે સંદલ શરીફ ચડાવવામા આવશે અને ૧૧:૦૦ કલાકે પરચમ મુબારક (ધ્વજ) ચડાવામાં આવશે અને ૧૧:૩૦ કલાકે લોબાન કરવામાં આવે ત્યાર બાદ ૧૨:૦૦ કલાકે આમ ન્યાઝ (મહા પ્રસાદ) તકસીમ કરવામાં આવશે તો આ ઉર્ષ મુબારકમાં તમામ આસીકાને 7- SARKAR- ના ઉર્ષમાં હાજરી આપી સવાબે એ દારીન હાસીલ કરજો તેવું (દિદારે હુશ્ને મુઝસ્સમ) શેરે ગુજરાત શહેઝાદાએ પીર 7-SARKAR-7 નુરૂલ નુર સૈયદી પીર શકીલ સરકાર કાદરીયુલ જીલ્લાની કલંદરી,સાબરી,નીજામી,અશરફી તથા પીર 7-SARKAR-7 ઉર્ષ કમિટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.









