મોરબી : વન નેશન વન ઈલેકશન અંતર્ગત મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ ભાજપ મંત્રી અને સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલાએ ઉપસ્થિત રહીને વન નેશન વન ઈલેકશનથી દેશને શું ફાયદો થશે, કેટલો ફાયદો થશે તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
ઉમા ટાઉનશીપ ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન વન નેશન વન ઈલેકશનનો સંદેશ પ્રબુદ્ધ નાગરિકો સુધી પહોંચાડવાના ખાસ ઉદેશ્ય સાથે યોજાયું હતું જે પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, શહેર પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ ભાજપ અગ્રણીઓ તેમજ સિરામિક એસોના હોદેદારો હાજર રહ્યા હતા સંમેલનમાં મહેશભાઈ કસવાલાએ વન નેશન વન ઈલેકશન અમલમાં આવવાથી શું ફાયદો થશે, નાણાકીય ફાયદો કેટલો થશે, અન્ય ફાયદા તેમજ સૌથી મોટો ફાયદો પાંચ વર્ષ સ્થિર સરકાર મળશે તેની માહિતી આપી હતી તાજેતરમાં સરપંચ ચુંટણી સંપન્ન થઇ છે ત્યારે ચૂંટાયેલા સરપંચનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.










