મોરબી: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ની પાવન અને ઐતિહાસિક ધરા પર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત સોમનાથ ખાતે પધાર્યા હતા. જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાન ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’ કાર્યક્રમમાં તેમણે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. વડાપ્રધાનના આગમન પ્રસંગે સોમનાથ હેલીપેડ ખાતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા આત્મીય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. સોમનાથ અમૃતપર્વ-2026 કાર્યક્રમ ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતો બન્યો છે.











