Sunday, June 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારે ઠંડા શરબતનું વિતરણ કરાશે

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારે ઠંડા શરબતનું વિતરણ કરાશે

મોરબી: મોરબીમાં હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને નગરજનોને આકરા તાપથી રાહત અને શીતળતા આપવા માટે પ્રશંસનીય સેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા “સેવા એ જ પરમો ધર્મ” ના સૂત્ર હેઠળ ઠંડા-પીણા અને શરબત વિતરણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભક્તિ અને સેવાના સંગમ સમાન આ કાર્યક્રમનું આયોજન તારીખ 28/06/2026 ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. મોરબીમાં સરદારબાગની સામે આવેલા OMVVIM કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે સવારે 10:30 વાગ્યાથી આ શરબત વિતરણ સેવા કેમ્પ શરૂ કરવામાં આવશે.

આ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવાના હેતુથી યોજાયેલા આ કેમ્પનો લાભ લેવા માટે પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા તમામ નગરજનો અને રાહદારીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments